Aam Aadmi Party Gujarat નાં નેતા દક્ષિણ છારા એ કહ્યું, 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ વોટની તાકાત બતાવશે

aam aadmi party gujarat
aam aadmi party gujarat

Share This Post

Aam Aadmi Party Gujarat : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલાં ગુજરાતની રાજનીતિની હવા બદલાઇ ગઇ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે તો ગયા અઠવાડિયે અરવિંદ કેજરીવાલ ગુજરાત હતા. ગઇ કાલે એક આમ આદમી પાર્ટી ગુજરાતનાં નેતા દક્ષિણ છારાએ ભાજપ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.

Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat

Aam Aadmi Party Gujarat નાં NTDNT વિંગના પ્રદેશ અધ્યક્ષ દક્ષિણ છારાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે એક અલગ વિંગ બનાવી છે અને એમના પ્રશ્નોને સન્માન આપ્યું છે અને એમના પ્રશ્નોનો હલ આવે તે માટે પ્રયત્ન કર્યો છે તે માટે હું ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકજી નો આભાર માનું છું.

#aapgujarat #isudangadhvi #pressconference
AAP ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરીશ્રી Isudan Gadhvi ની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ LIVE

જ્યારથી મને NTDNT વિંગનો પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે. ત્યારથી અમે સમગ્ર ગુજરાતમાં NTDNT વિંગના ઘણા બધા હોદ્દેદારો જાહેર કર્યા છે અને બધાને એક સાથે લાવ્યા છીએ. જ્યારે બધા એક સાથે આવે ત્યારે સામાન્ય વાત છે કે ભાજપને ન ગમે કેમ કે ભાજપ એ વિચરતી અને વિમુક્ત જનજાતિઓને ક્યારેય કશું આપ્યું નથી.

ગુજરાતમાં આ વિચરતી અને વિમુક્ત જનજાતિઓની કુલ જનસંખ્યા સવા કરોડની આસપાસ : Aam Aadmi Party Gujarat નાં દક્ષિણ છારા

ગુજરાતમાં આ વિચરતી અને વિમુક્ત જનજાતિઓની કુલ જનસંખ્યા સવા કરોડની આસપાસ થાય છે અને આ સવા કરોડમાં ડફેર જાતિ પણ છે. આ ડફેર જાતિ માટે અત્યારે કેટલાક દિવસો પહેલા જ આપણા ટુરિઝમ અને એવીએશન મિનિસ્ટર અરવિંદ રૈયાણીએ બહુ જ અપશબ્દ રીતે આ જાતિનું નામ ઉચ્ચાર્યું હતું. તેમણે અરવિંદ કેજરીવાલજી માટે એવા શબ્દો વાપર્યા કે ‘બહારગામ થી  ડફેરો આવે છે, અને અહીંયા આવીને રેવડી વહેચવાની વાતો કરે છે.’

આમ એમણે એક પ્રજાતિને અપશબ્દ રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિ ના લોકો એમ અમે સવા કરોડ લોકો ભેગા થઈને અરવિંદ રૈયાણી પાસે માંગ કરીએ છીએ કે તેમણે અમારી માફી માંગવી પડશે કેમ કે તમે કોઈ પણ જાતિનું નામ આવી રીતે ઉચ્ચારી ન શકો.

મોદીજીએ દાહોદમાં કહેલું, આદિવાસીઓ તો મોજમાં રહે છે

ગઈકાલે પણ રૂપાલા સાહેબે આદિવાસી સમાજ માટે અપશબ્દો વાપર્યા હતા. તેમણે કહ્યું હતું કે પોટલીયો વગર આદિવાસી સમાજને ન ચાલે. આ પહેલા પણ જ્યારે મોદીજી દાહોદમાં આવ્યા હતા ત્યારે પણ એમને કહેલું કે આદિવાસીઓ તો મોજમાં રહે છે. જેમ ભાજપવાળા આવા અપશબ્દો આદિવાસી સમાજ અને 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે વાપરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.

અમે તમને ખાતરી આપીએ છીએ કે જેમ પહેલી વખત 40 વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો એક સાથે આવી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણીમાં અમે અમારા વોટનો પાવર અવશ્ય બતાવીશું, ત્યારે તમને ખબર પડશે કે અમારી જાતિ માટે તમે કેવા અપશબ્દોનો ઉપયોગ કરતા હતા. આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સમાં આમ આદમી પાર્ટી NTDNT વિંગના પ્રદેશ અધ્યક્ષ દક્ષિણ છારા સહિત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.  

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video