અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

Facebook
Twitter
Telegram
WhatsApp

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે દર વખતે વીજ મેન્ટનેન્સ થાય છે પ્રી મૌન્સૂન કામગીરી કરવામાં આવે છે તો પછી આં વરસાદ પડતાની સાથે વીજ ફોલ્ટ કઈ રીતે થાય છે.

અમીરગઢ સમાચાર

વરસાદ પડ્યો નથી કે વીજ ફોલ્ટ થયો નથી તો વીજ કર્મચારીઓ ચોમાસાં પેહલા પ્રીમોનસૂન ની કામગીરી કરે છે…? દર વખતે ફોલ્ટ કાઢે છે તો વરસાદ પડતાની સાથે સપ્લાય કેમ બંધ થઈ જાય છે શું..? વરસાદ નું પડવું અને વીજ ફોલ્ટ થવો દર વખતે ફિક્સ છે કે કેમ..! એ સમજાતું નથી.

વીજ સપ્લાય ખોરવાતાં ગૃહિણીઓને રસોઈ સહિતનાં ઘર કામમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. બાળકો હેરાન પરેશાન થઈ જાય છે ઈલેક્ટ્રીસીટીથી, ચાલતાં વેપારીઓને ધંધા રોજગાર ખોરવાઈ પડે છે. વેપારીઓને ઠંડાં મોસમ માં રેતી વસ્તુઓ બગડવા લાગે છે.

અમીરગઢ તાલુકામાં 69 ગામડાં આવેલ છે

જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા વીજ કર્મીઓને ફોન કરવામાં આવે તો સૌ પ્રથમ કોઈ ફોન રિસિવ કરવામાં આવતા નથી, અને જો ભૂલ થી રીસિવ કરે તો યોગ્ય જવાબ ન મળે અને જો જવાબ મળે તો પંદર થી વીસ મિનીટ નું કહી દે. પરંતુ લાઈટ ક્યારે આવે એનું કંઈ જ નક્કી નાં કેહવાય રાતે બે ત્રણ વાગે આવે સવારે આવે અને આવે તોય રે નહીં થોડી થોડી વારે ફરી સપ્લાય કટ થઇ જ જાય આખરે આં સમસ્યાનો અંત ક્યારે.

અમીરગઢ તાલુકાનું મુખ્ય મથક છે. જો તાલુકાનાં મુખ્ય મથકની આવી દયનીય હાલત હોય તો, અમીરગઢમાં 69 ગામડાં આવેલ છે. ત્યાંની શું શું પરિસ્થિત હશે! એ આપણને આના પરથી અંદાજ આવી શકે છે.

  • વિશાલ નાઈ, સિનીયર રીપોર્ટર
  • અમીરગઢ, બનાસકાંઠા
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો