સાળંગપુર મંદિર વિવાદ માં સનાતન ધર્મ ના સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ મુક્યા

Share This Post

સાળંગપુર મંદિર વિવાદ માં આજે અંત આવ્યો હોય એવા સમાચાર મળ્યા છે. આજે 03 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સાણંદ ખાતે આવેલા લંબેનારાયણ આશ્રમ ખાતે ડો.જ્યોતિરનાથ બાપુની અધ્યક્ષતામાં યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા.

સાળંગપુર મંદિર વિવાદ

સાળંગપુર મંદિર વિવાદ : સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ

  • 1) ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્રારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાનદાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાનો અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઇ અને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
  • 2) ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય તેવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
  • 3) સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતો આજથી સ્વામિનારાયણ મંદિરનો બહિષ્કાર કરી, સંતોને આવકારીશું નહીં અને તેમના આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ નહીં.
  • 4) સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
  • 5) સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓના નામ લેવા નહીં.
  • 6) સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રો જેવા કે ભગવતગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
  • 7) સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય તે ભાગને કાયમી દૂર કરવામાં આવે.
  • 8) સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓ સહજાનંદ સ્વામીને સર્વોપરી હતા, તેથી ભીંતચિત્રો અને ઔદિચ્ય ભંગને તાત્કાલિક હમેશાં માટે દૂર કરવા.
  • 9) સનાતન ધર્મની કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેઓના તાત્કાલિક રાજીનામાં લેવા.
  • 10) સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોએ સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
  • 11) સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસી અને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
  • 12) સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
  • 13) સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય તે જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી

સનાતન ધર્મ ના સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય નો બહિષ્કાર કરવાના શપથ લીધા. આ સંમેલનમાં ઋષિભારતી બાપુ સરખેજ, વિશ્વેશ્વરી ભારતીજી માતા, કલ્યાણનંદ ભારતી બાપુ, નીલકંઠ મહારાજ, હર્ષદગીરી બાપુ, દેવાનંદ ભારતી બાપુ, ગીતા દીદી, દેવાનંદ ભારતી બાપુ, રોકડિયા બાપુ, ધીરેન્દ્ર બાપુ, મોહક ગંગાદાસ વગેરે હાજર રહ્યાં હતા અને આ તમામ 13 ઠરાવોને સમર્થન આપ્યું હતું.

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video