જૈન ધર્મ ના ચોથા Tirthankar Abhinandananatha વિશે જાણો |જૈન ધર્મના 24 તિર્થંકરો| તિર્થંકર અભિનંદન નાથ

Tirthankar Abhinandananatha
Facebook
Twitter
Telegram
WhatsApp

જૈન ધર્મ નાં તિર્થંકરો | જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોની આસપાસ આપણે જીવી રહ્યા છીએ. આ હિંસામાંથી બહાર નિકળવા માટે આપણને સારા મુલ્યોનો સથવારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થંકરવાણીમાં તિર્થ શાહ તિર્થંકરો વિશે જણાવી રહ્યા છે. આમ તો જૈન સમુદાયનાં સંશોધન બાદ ઘણાં લોકો ઘણું બધું લખી શકે. પરંતું અમે અહીં પ્રયાસ કર્યો છે કે જૈન ધર્મની વાત જૈન ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ વાત કરે તો એમાં થોડા ગુણનો પણ ઉમેરો થાય. આજેથી જૈન ધર્મનાં ચોથા Tirthankar Abhinandananatha ની વાત. |Jain Dharm na 24 Tirthankar|

જૈન ધર્મ
અભિનંદન નાથ

શ્રી અભિનંદન ભગવાનનું ચરિત્ર અનેકાંતમતાંભોધિઃ સમુલ્લાસનચંદ્રમા દધાદમંદમાનંદ ભગવાનભિનંદનઃ ||

સ્યાદ્વાદ મતરૂપી સમુદ્રને સારી રીતે ઉલ્લસિત કરવામાં ચંદ્ર સમાન એવા શ્રી Abhinandananatha ભગવાન અમારા અત્યંત હર્ષને (આનંદ) માટે થાઓ, શ્રીઅભિનંદન પ્રભુના ૩ ભવ થયાં તેમાં પૂર્વભવે પ્રભુનો આત્મા જયંત નામના વિમાનમાં હતા ત્યાંથી ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાં રહેલ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનની સાથે ઈક્ષ્વાકુવંશના કાશ્યપ ગોત્રના કોશલાદેશની અયોધ્યાનગરીના રાજા સંવરની સિદ્ધાર્થીદેવી રાણીની કુક્ષીએ વૈશાખ સુદ-૪ના મિથુન રાશિ પુનર્વસુ નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન થયું ત્યારે માતાએ ૧૪ સ્વપ્ન જોયા, સ્વપ્નનું ફળ જ્યોતિષીઓએ તીર્થંકર કે ચક્રવર્તી બની શકે તેમ કહેલ, ભગવાનનું નામ શ્રી અભિનંદન પાડવાનું

અયોધ્યાનગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળ્યો

જૈન ધર્મ ના તિર્થંકરો


Tirthankar Abhinandananatha પ્રભુનો દીક્ષાનો અવસર થતાં લોકાંતિકદેવો આવીને પ્રભુને તીર્થ સ્થાપના કરી જગતનું હિત-કલ્યાણ-ઉદ્ધાર-કરવા વિનંતી કરે છે, જો કે પ્રભુ સ્વયંબુદ્ધ હોય છે તેથી પોતાનો દીક્ષા કાળ જાણતા હોય છે પરંતુ તે દેવોનો તેવા પ્રકારનો આચાર હોય છે. પછી પ્રભુએ વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપી દીક્ષા માટે અયોધ્યાનગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળ્યો. પ્રભુ અર્થસિદ્ધા શિબિકામાં બેસીને સહસામ્ર વનમાં પધાર્યા ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુઠીલોચ કરીને છટ્ટનો તપ કરી 49 લાખપૂર્વ – 8 પૂર્વાંગ વર્ષની પાછલી ઉંમરે મહા સુદ-12ના મિથુન રાશિ અને પુનર્વસુ નક્ષત્રમાં પશ્ચિમાહ્ન સમયે ૧૦૦૦ની સાથે દીક્ષાને ગ્રહણ કરી ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, દીક્ષા સમયે ઈન્દ્રે આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી અયોધ્યાનગરીમાં તદ્ભવ મોક્ષગામી ઈન્દ્રદત્ત ના હાથે દીક્ષાના બીજા જ દિવસે પરમાન-ખીર થી પ્રથમ પારણુ થયું. ત્યારે પંચદિવ્ય પ્રગટ થયા અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.

અનેક પુરુષોએ અને અનેક સ્ત્રીઓએ દીક્ષા લીધી


પ્રભુ Tirthankar Abhinandananatha દીક્ષા પછી 18 વર્ષમાં પ્રમાદ નીંદ્રા જરાપણ કર્યા વિના અપ્રમતપણે આર્ય દેશમાં વિચરતાં અયોધ્યાનગરીના સહસ્રામ ઉદ્યાનમાં છજ્જૈનો તપ કરતાં પ્રિયાલ વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે પોષ સુદ-14ના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને લોકાલોકના સર્વભાવોને જાણતા અને જોતા થયા. સાથે અઢાર દોષયી રહિત થયા આઠ પ્રાતિહાર્ય અને 34 અતિશયથી યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી તેમાં મધ્ય સિંહાસને 4200 ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે અશરણ ભાવના ને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપતા અનેક પુરુષોએ અને અનેક સ્ત્રીઓએ દીક્ષા લીધી. તેમાં વજ્રનાભ આદિ 116 ગણધર થયા. અને પછી પ્રભુના પરિવારમાં 3,00,000 સાધુ, અજિતા આદિ 6,30,000 સાધ્વી, 2,88,000 શ્રાવક, 5,27,000 શ્રાવિકાઓ હતી. તથા 1400 કેવળી, 1500 ચૌદપૂર્વી, 11650 મનપર્યંચજ્ઞાની, 9800 અવધિજ્ઞાની, 19000 વૈક્રિયલબ્ધિધારી 11000 વાદી હતા.

Tirthankar Abhinandananatha ના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ


પ્રભુ વિચરતાં વિચરતાં સમ્મેતશિખર પધારે છે ત્યાં માસક્ષમણ તપ ફરતાં, કાર્યોત્સર્ગ મુદ્રામાં 1000 ની સાથે વૈશાખ સુદ-8ના દિવસે પૂર્વાલ કાળે, કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં મોક્ષે ગયા ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખ પૂર્વ – 8 પૂર્વાંગ વર્ષનો અને 50 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ પ્રભુનું પ્રાયેઃ શાસન 9 લાખ કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું, પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટપરંપરા સુધી ચાલતો રહેલ. Tirthankar Abhinandananatha પ્રભુના ભક્તરાજા મિત્રવીર્ય હતા. પ્રભુના માતા મોક્ષે તથા પિતા ઈશાન દેવલોકે ગયેલ.

વિમલ વાહન ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી


પ્રભુનો આત્મા પૂર્વના ત્રીજા ભવે જંબુદ્વીપ પૂર્વ વિદેહ ક્ષેત્રની મંગલાવતી વિદેહની રત્નસંચયા નગરીમાં મહાબલરાજા નામે થયેલ અને પછી વિમલ વાહન ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. 11 અંગનો અભ્યાસ કરી વિશસ્થાનકના કેટલાક પદની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન ફરેલ. પ્રભુની સેવામાં યક્ષેક્ષ યક્ષ અને કાલીદેવી યક્ષિણી નિરંતર રહે છે જેઓ ભક્તની ભીડ ભાંગે છે. પ્રભુના જાપ કરવાથી બુધ ગ્રહ તરફથી લા થાય છે. પ્રભુની આરાધનાથી હર્ષ-ખુશાલી થાય છે. પ્રભુ મેષ, સિંહ, તુ= રાશિવાળાને શુભ છે. વૃષભ, મીન, રાશિવાળાને શ્રેષ્ઠ છે કન્યા રાશિવાળ” શ્રેષ્ઠતમ છે. મકર રાશિવાળાને પ્રીતિકારક છે. પ્રભુના તીર્થો અયોધ્યા (વિનિતા) પ્રખ્યાત છે જેમાં પ્રભુજી મૂળનાયક તરીકે બિરાજમાન છે.

જૈન ધર્મ નાં ચોવીસ તિર્થંકરો કોણ છે?

જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તિર્થંકરો થયા છે. જૈન ધર્મની સ્થાપના ઋષભદેવે કરી હતી. જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં તિર્થંકર હતા. મૂળે તિર્થંકરનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે.

  • પ્રથમ તિર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથનું પ્રતિક વૃષભ છે. એમ ક્રમશ: જોઇએ.
  • જૈન ધર્મનાં બીજા તિર્થંકર અજીતનાથ છે. 2nd Tirthankar Ajitnath નું પ્રતિક હાથી છે.
  • જૈન ધર્મનાં ત્રીજા તિર્થંકર સંભવનાથ છે. 3rd Tirthankar Sambhavanatha નું પ્રતિક ઘોડો છે.
  • જૈન ધર્મનાં ચોથા તિર્થંકર અભિનંદનનાથ છે. 4th Tirthankar Abhinandananatha નું પ્રતિક વાનર છે.
  • જૈન ધર્મનાં પાંચમા તિર્થંકર સુમતિનાથ છે. 5th Tithankar Sumatinatha નું પ્રતિક કૌંચ છે.
  • જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભુ છે. 6th Tirthankar Padmaprabhu નું પ્રતિક પદ્મ છે.
  • જૈન ધર્મનાં સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથ છે. 7th Tirthankar Suparshvanath નું પ્રતિક સ્વસ્તિક છે.
  • જૈન ધર્મનાં આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુ છે. 8th Tirthankar Chandraprabhu નું પ્રતિક ચંદ્ર છે.
  • જૈન ધર્મનાં નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંત છે. 9th Tirthankar Suvidhinath પુષ્પદંતનું પ્રતિક મગર છે.
  • જૈન ધર્મનાં દસમા તિર્થંકર શીતલનાથ છે. 10th Tirthankar Shitalnath નું પ્રતિક શ્રીવત્સ છે.
  • જૈન ધર્મનાં અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથ છે. 11th Tirthankar Shreyansanath નું પ્રતિક ગેંડો છે.
  • જૈન ધર્મનાં બારમા તિર્થંકર વાસુપૂજ્ય છે. 12th Tirthankar Vasupujya નું પ્રતિક પાડો છે.
  • જૈન ધર્મનાં તેરમા તિર્થંકર વિમલનાથ છે. 13th Tirthankar Vimalanath નું પ્રતિક સૂવર છે.
  • જૈન ધર્મનાં ચૌદમા તિર્થંકર અનંતનાથ છે. 14th tirthankar Anantanath નું પ્રતિક બાજ છે.
  • જૈન ધર્મનાં પંદરમા તિર્થંકર ધર્મનાથ છે. 15th Tirthankar Dharmanath નું પ્રતિક વ્રજ છે.
  • જૈન ધર્મનાં સોળમા તિર્થંકર શાંતિનાથ છે. 16th tirthankar Shantinath નું પ્રતિક હરણ છે.
  • જૈન ધર્મનાં સત્તરમા તિર્થંકર કુંથુંનાથ છે. 17th Tirthankar Kunthunath નું પ્રતિક બકરી છે.
  • જૈન ધર્મનાં અઢારમા તિર્થંકર અરમાથ છે. 18th Tirthankar Aranath નું પ્રતિક નન્ધાવર્ત છે.
  • જૈન ધર્મનાં ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથ છે. 19th Tirthankar Mallinath નું પ્રતિક કળશ છે.
  • જૈન ધર્મનાં વીસમા તિર્થંકર મુનિસુવ્રત છે. 20th Tirthankar Muni Suvrata નું પ્રતિક કાચબો છે.
  • જૈન ધર્મનાં એકવીસમા તિર્થંકર નેમનાથ છે. 21th Tirthankar Namnath નું પ્રતિક નીલકમલ છે.
  • જૈન ધર્મનાં બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિ (નેમિનાથ) છે. 22th Tirthankar Neminathનું પ્રતિક શંખ છે.
  • જૈન ધર્મનાં ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથ છે. 23th Tirthankar Parshvanatha નું પ્રતિક સર્પ છે.
  • જૈન ધર્મનાં ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામી છે. 24th Tirthankar Mahavir Swami નું પ્રતિક સિંહ છે.
જૈન ધર્મનાં તિર્થંકરો વિશેનો ની કઇ વાત આપ જાણો છો જે લોકોને વાંચવી ગમશે. તો અમને જણાવો.
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના