Jain Dharm નાં ત્રીજા Tirthankar Sambhavnath વિશે જાણો| જૈન ધર્મનાં 24 તિર્થંકરો|

Facebook
Twitter
Telegram
WhatsApp

જૈન ધર્મનાં તિર્થંકરો | જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોની આસપાસ આપણે જીવી રહ્યા છીએ. આ હિંસામાંથી બહાર નિકળવા માટે આપણને સારા મુલ્યોનો સથવારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થંકરવાણીમાં તિર્થ શાહ તિર્થંકરો વિશે જણાવી રહ્યા છે. આમ તો જૈન સમુદાયનાં સંશોધન બાદ ઘણાં લોકો ઘણું બધું લખી શકે. પરંતું અમે અહીં પ્રયાસ કર્યો છે કે જૈન ધર્મની વાત જૈન ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ વાત કરે તો એમાં થોડા ગુણનો પણ ઉમેરો થાય. આજેથી જૈન ધર્મનાં ત્રીજા તિર્થંકર સંભવનાથની વાત. |Jain Dharm na 24 Tirthankar|

3rd Tirthankar Sambhavnath

Tirthankar Sambhavnath વિશે જ્યોતિષીઓ કહ્યું, તીર્થંકર કે ચક્રવર્તી બની શકે

શ્રી સંભવનાથ પ્રભુના 3 ભવ થયા. તેમાં પૂર્વભવે પ્રભુતો આત્મામાં પ્રીયક નામના વિમાનમાં હતા. ત્યાંથી 29 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાં રહેલા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનની સાથે ઈક્ષ્વાકુવંરાના કાશ્યપ ગોત્રના કૃણાલાદેશની શ્રાવસ્તીનગરીના રાજા જિતારીની સેનારાણીનો કુસીએ ફાગણસુદ-8ના મિથુન રાશિ મૃગશીર્ષ નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન થયું ત્યારે માતાએ 14 સ્વપ્ન જોયા. સ્વપ્નનું ફળ જ્યોતિષીઓએ આ પુત્ર Tirthankar કે ચક્રવર્તી બની શકે તેમ કહ્યું હતુ. ભગવાનનું નામ સંભવનાથ પાડવાનું કારણ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા પહેલા દુકાળ હતો. ગર્ભમાં આવતા બહુ ધાન્યનો સંભવ થવાથી અને ભાવાર્થ થાય છે કે અત્યંત શુભતા સંભવથી પ્રભુ માતાના ઉદરમાં 9 માસ 6 દિવસ રહ્યા. પછી માગશર સુદ 14 ના મૃગશીર્ષ નક્ષત્રમાં મધ્યરાત્રિએ જન્મ થયેલ ત્યારે છપ્પન દિક્કુમારોએ આવીને સૂતીકર્મ કર્યું હતું. એ બાદ 64 ઈન્દ્રોએ મેરુપર્વત ઉપર એક કરોડ સાઈઠ લાખ કળશ વડે જન્માભિષેક મહોત્સવ કર્યો હતો.

પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો હતો. પ્રભુ જવાથી જ વ અતિશયથી યુક્ત હોય છે. પ્રભુ બાલ્યકાળે ઈન્દ્ર પ્રભુ અંગુઠામાં મૂકેલ અમૃતના આહાર વડે ઉછરે છે પણ સ્તનપાન ક્યારેય કરતા નથી . પછી આહારાદિકને ગ્રહણ કરે છે. પ્રભુની જમણી જાંઘ ઉપર ઘોડાનું લંછન હતું. કાંચન વર્ણના અને 400 ધનુષ્યની કાયાવાળા હતા. પોતાના 12 આંગળ પ્રમાણ હતા. પ્રભુ સર્વોત્કૃષ્ટ રૂપ અને અનંતબળને ધારણ કરો 15 લાખ પૂર્વ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા પછી 44 લાખપૂર્વ + 4 પૂર્વાંગ રાજ્ય પાલન કર્યું. પ્રભુને 3 પુત્ર હતા.

શ્રીવસ્તીનગરીમાં દીક્ષાનો વરઘોડો નીકળ્યો

પ્રભુનો દીક્ષાનો અવસર થતાં લોકાંતિકદેવો આવીને પ્રભુને તીચે સ્થાપના કરી જગતનું હિત-કલ્યાણ-ઉદ્ધાર-કરવા વિનંતી કરે છે. જો કે પ્રભુ સ્વયંબુદ્ધ હોય છે તેથી પોતાનો દીક્ષા કાળ જાણતા હોય છે પરંતુ તે દેવોનો તેવા પ્રકારનો આચાર હોય છે. પછી પ્રભુએ વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપી દીક્ષા માટે શ્રીવસ્તીનગરીમાં દીક્ષાનો વરઘોડો નીકળ્યો. પ્રભુ સિદ્ધા શિકિતમાં બેસીને સહે વનમાં પધાયાં ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુખીલોય કરીને છઠ્ઠભ કરી 59 લાખપૂર્વ + 4 પૂર્વાંગ વર્ષની પાછલી ઉંમરે માગશર સુદ પૂનમ (15) ના મિથુન રાશિ અને મૃગશીષ નક્ષત્રમાં પશ્ચિમાલી સમયે 1000ની સાથે દીક્ષાને ગ્રહણ કરી ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન થયું. દીક્ષા સમયે ઈન્દ્રે આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી શ્રાવસ્તીનગરીમાં તદ્ભવ મોક્ષગામી સુરેન્દ્રદત્તના હાથે દીક્ષાના બીજા દિવસે પરમાન્ત-ખીરથી પ્રથમ પારણુ થયું. ત્યારે પંચદિવ્ય પ્રગટ થયા અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. પછી..!!

આસો વદ-5 મૃગશી નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું
પ્રભુ દીક્ષા પછી 14 વર્ષમાં પ્રમાદ નિંદ્રા જરા પણ કર્યા વિના આમપણે આર્ય દેશમાં વિચરતાં શ્રાવસ્તીનગરીના સહસ્રામ ઉદ્યાનમાં છઠ નો તપ કરતો સાલ વૃક્ષની નીચે ધ્યાનમાં હતા. ત્યારે આસો વદ-5 દિવસે મૃગશી નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને લોકાલોકના સર્વભાવોને જાણતા અને જોતા થયા. સાથે અઢાર દોષથી રહિત થયા આઠ પ્રાતિહાર્ય અને 34 અતિશયથી યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી તેમાં મધ્ય સિંહાસને 4800 ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે અનિત્ય ભાવનાને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપતા અનેક પુરુષોએ અને અનેક સ્ત્રીઓએ દીક્ષા લીધી. તેમાં ચા આદિ 102 ગણધર થયા. અને પછી પ્રભુના પરિવારમાં 200000 સાધુ શ્યામા આદિ 3,36,000 સાદવી, 2,93,000 શ્રાવક, 6,3600 શ્રાવિકાઓ હતી. તથા 15000 કેવળી, 2150 ,ચૌદપૂર્વી, 12150
મનપયજ્ઞાની, 9,600 અવધિજ્ઞાની, 19,800 લબ્ધિધારી 12,000 વાદી હતા.

પ્રભુ વિચરતાં વિચરતાં સમ્મેતશિખર પધારે છે ત્યાં મહા મૃત્યુંજય તપ કરતાં, કાયોત્સર્ગ મુદ્રામાં 1000 ની સાથે ચૈત્ર સુદ-5 ના દિવસે પશ્ચિમહ કાળ, મિથુન રાશિ અને આદ્રા નક્ષત્રમાં મોક્ષે ગયા ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખપૂર્વ -+4 પૂર્વાંગ વર્ષનો અને 60 લાખપૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ પ્રભુનું પ્રાયઃ શાસન 10 લાખ કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટપરંપરા સુધી ચાલતો રહેલ, પ્રભુના ભક્તરાજા મૃગસેત હતા. પ્રભુના માતા મોક્ષે તથા પિતા ઈશાન દેવલોકે ગયેલ.

પ્રભુનો આત્મા પૂર્વના ત્રીજા ભવે જંબુદ્રીપ પૂર્વ વિદેહ ક્ષેત્રની સ્મરણીય વિદેહની શુભાપુરી નગરીમાં વિપુલબલ રાજા નામે થયેલ અને પછી સંભાત ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. 11 અંગનો અભ્યાસ કરી વિશસ્થાનકન કેટલાક પદની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ. પ્રભુની સેવામાં ત્રિમુખ યક્ષ (3 નેત્ર- 3 મુખ) અને દુરિતારી દેવી યક્ષિણી નિરંતર સ્ટે છે. જેઓ ભક્તની ભીડ ભાંગે છે. પ્રભુના જાપ કરવાથી બુધ ગ્રહ તરફથી લાભ થાય છે. પ્રભુની આરાધનાથી દ્રવ્યવૃદ્ધિ-વસ્તુની પ્રાપ્તી થાય છે. પ્રભુ મેષ, સિંહ, તુલા રાશિવાળાને શુભ છે. વૃષભ મીન રાશિવાળાને શ્રેષ્ઠ છે કન્યા રાશિવાળાને શ્રેષ્ઠત્તમ છે. પ્રમુખ તીર્થો મા સાવત્થી પ્રખ્યાત છે જેમાં પ્રભુજી મૂળનાયક તરીકે બિરાજમાન છે.

વિશ્વભવ્યજનારામ-કુલ્યાતુલ્યા જ્યંતિ
તા: દેશનાસમયે વાચ: શ્રી સંભવજગત્પતેઃ ॥

સર્વ જગતના પતિ (સ્વામી) એવા શ્રી સંભવનાથ ભગવાનનો ધર્મ ઉપદેશ વખતની સર્વ જગતના ભવ્ય જન રૂપી ઉધાતને સિંચત કરવામાં પાણીની તીક સમાન એવી વાણી જયવંતી વર્તે છે.

જૈન ધર્મનાં ચોવીસ તિર્થંકરો કોણ છે?

જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તિર્થંકરો થયા છે. જૈન ધર્મની સ્થાપના ઋષભદેવે કરી હતી. જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં તિર્થંકર હતા. મૂળે તિર્થંકરનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે.

પ્રથમ તિર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથનું પ્રતિક વૃષભ છે. એમ ક્રમશ: જોઇએ. Click Read more to Tirthankar Aadinath Story
જૈન ધર્મનાં બીજા તિર્થંકર અજીતનાથ છે. 2nd Tirthankar Ajitnath નું પ્રતિક હાથી છે. Click Read more to Tirthankar Ajitnath Story
જૈન ધર્મનાં ત્રીજા તિર્થંકર સંભવનાથ છે. 3rd Tirthankar Sambhavanatha નું પ્રતિક ઘોડો છે.
જૈન ધર્મનાં ચોથા તિર્થંકર અભિનાથ છે. 4th Tirthankar Abhinath નું પ્રતિક વાનર છે.
જૈન ધર્મનાં પાંચમા તિર્થંકર સુમતિનાથ છે. 5th Tithankar Sumatinatha નું પ્રતિક કૌંચ છે.
જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભુ છે. 6th Tirthankar Padmaprabhu નું પ્રતિક પદ્મ છે.
જૈન ધર્મનાં સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથ છે. 7th Tirthankar Suparshvanath નું પ્રતિક સ્વસ્તિક છે.
જૈન ધર્મનાં આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુ છે. 8th Tirthankar Chandraprabhu નું પ્રતિક ચંદ્ર છે.
જૈન ધર્મનાં નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંત છે. 9th Tirthankar Suvidhinath પુષ્પદંતનું પ્રતિક મગર છે.
જૈન ધર્મનાં દસમા તિર્થંકર શીતલનાથ છે. 10th Tirthankar Shitalnath નું પ્રતિક શ્રીવત્સ છે.
જૈન ધર્મનાં અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથ છે. 11th Tirthankar Shreyansanath નું પ્રતિક ગેંડો છે.
જૈન ધર્મનાં બારમા તિર્થંકર વાસુપૂજ્ય છે. 12th Tirthankar Vasupujya નું પ્રતિક પાડો છે.
જૈન ધર્મનાં તેરમા તિર્થંકર વિમલનાથ છે. 13th Tirthankar Vimalanath નું પ્રતિક સૂવર છે.
જૈન ધર્મનાં ચૌદમા તિર્થંકર અનંતનાથ છે. 14th tirthankar Anantanath નું પ્રતિક બાજ છે.
જૈન ધર્મનાં પંદરમા તિર્થંકર ધર્મનાથ છે. 15th Tirthankar Dharmanath નું પ્રતિક વ્રજ છે.
જૈન ધર્મનાં સોળમા તિર્થંકર શાંતિનાથ છે. 16th tirthankar Shantinath નું પ્રતિક હરણ છે.
જૈન ધર્મનાં સત્તરમા તિર્થંકર કુંથુંનાથ છે. 17th Tirthankar Kunthunath નું પ્રતિક બકરી છે.
જૈન ધર્મનાં અઢારમા તિર્થંકર અરમાથ છે. 18th Tirthankar Aranath નું પ્રતિક નન્ધાવર્ત છે.
જૈન ધર્મનાં ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથ છે. 19th Tirthankar Mallinath નું પ્રતિક કળશ છે.
જૈન ધર્મનાં વીસમા તિર્થંકર મુનિસુવ્રત છે. 20th Tirthankar Muni Suvrata નું પ્રતિક કાચબો છે.
જૈન ધર્મનાં એકવીસમા તિર્થંકર નેમનાથ છે. 21th Tirthankar Namnath નું પ્રતિક નીલકમલ છે.
જૈન ધર્મનાં બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિ (નેમિનાથ) છે. 22th Tirthankar Neminathનું પ્રતિક શંખ છે.
જૈન ધર્મનાં ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથ છે. 23th Tirthankar Parshvanatha નું પ્રતિક સર્પ છે.
જૈન ધર્મનાં ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામી છે. 24th Tirthankar Mahavira Swami નું પ્રતિક સિંહ છે.

જૈન ધર્મનાં તિર્થંકરો વિશેનો ની કઇ વાત આપ જાણો છો જે લોકોને વાંચવી ગમશે. તો અમને જણાવો. Jain Dharm

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના