સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી વાંચો એમનાં Top 16 મનોબળશાળી વિચાર | National Youth Day 2023

સ્વામી વિવેકાનંદ

Share This Post

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી (National Youth Day 2023) : આજે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2023) છે. સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું.

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day 2023) તરીકે ઉજવાય છે. આજે સમગ્ર ભારતનાં યુવાનોનાં પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદનાં વિચારો વાંચીએ.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી 2023
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી 2023

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી 2023

National Youth Day 2023

  • ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
  • ઓ સિંહો ! તમે ઘેટાઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છે, તમે સ્વતંત્ર આત્માઓ છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.
  • જો તમે કોઈ માણસને અવારનવાર કહ્યા જ કરો કે ‘તું અધમ છે, તું નીચ છે,’ તો કાળક્રમે જરૂર તે પોતે તેવો જ છે એમ માનતો થઈ જવાનો. આનું નામ સંમોહન.
  • કોઈ બીજાને પાપી કહેવો તે તો સૌથી ખરાબ કામ કર્યા જેવું છે.
  • સૌ કોઈ સંમોહિત જ છે. મુક્તિ મેળવવાનું કાર્ય કે પોતાના સાચા સ્વભાવનો સાક્ષાત્કાર કરવાનું કાર્ય એ સંમોહનથી મુક્ત થવાનું કાર્ય છે.
  • ઉઠો અને જાગો અને જ્યાં સુધી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી રોકશો નહીં

Swami Vivekananda Jayanti 2023

  • તમે જે વિચારો છો, તમે બની જશો. જો તમે તમારી જાતને કમજોર માનો છો, તો તમે નબળા બનશો, જો તમે તમારી જાતને મજબૂત માનો છો, તો તમે મજબૂત બનશો.
  • એક સમયે એક જ કામ કરો અને તે કરતી વખતે તમારો આખો આત્મા તેમાં લગાવો અને બાકીનું બધું ભૂલી જાઓ.
  • અમે તે છીએ જે અમારા વિચારોએ અમને બનાવ્યું છે, તેથી તમે શું વિચારો છો તેની કાળજી રાખો.
  • શાશ્વત સુખના વારસદારો – કેવું મધુર અને આશાજનક સંબોધન! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો.
  • તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ ! તમને પાપી કેમ કહી શકાય ? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે.
    જ્યા સુધી જીવવું, ત્યાં સુધી શીખવું, અનુભવ એ વિશ્વનો શ્રેષ્ઠ શિક્ષક છે
  • લોકો તમારી પ્રશંસા કરે અથવા તમારી નિંદા કરે, ધ્યેય તમારા માટે દયાળુ હોય કે ન હોય, તમે આજે અથવા ભવિષ્યમાં મૃત્યુ પામો, તમે ક્યારેય ન્યાયના માર્ગથી વિચલિત ન થાઓ
  • તમે જે કામ માટે વચન આપો છો, તે જ સમયે કરવું જોઈએ, નહીં તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે.
  • ઊઠો, જાગ્રત થાઓ ! આ નિર્બળતાની ભૂરકીને ખંખેરી નાખો. વાસ્તવિક રીતે કોઈ દુર્બળ નથી; આત્મા સનાતન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. માટે ઊભા થાઓ, તમારો હક રજૂ કરી, તમારામાં ઈશ્વર રહેલો છે એવી ઘોષણા કરો; તેને નકારો મા ! આપણી પ્રજામાં સુસ્તીનો અતિરેક, દુર્બળતાનો અતિરેક, નબળાઈની ભૂરકીનો અતિરેક થઈ ગયો હતો. તમે ભૂરકીને ખંખેરી નાખો.
  • માત્ર બાહ્ય કે ભૌતિક જ્ઞાનનો અભ્યાસ કરીને માનવ પોતે કંઈ નથી.
  • સ્વામી વિવેકાનંદ જયંતીઃ જાણો સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા રોચક પ્રસંગો

FAQ

  • સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ કયા વર્ષે ઉજવવામાં આવી હતી ?

વર્ષ 2012માં 150મી જન્મ જયંતિ ઉજવાઇ હતી.

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

દક્ષિણ ગુજરાત

કોંગ્રેસ નેતા અનંત પટેલ નજર કેદ! AAP નેતા ચૈતર વસાવા ના સમર્થનમાં લખ્યો મુખ્યમંત્રીને પત્ર

વાંસદા વિધાનસભા ના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ને નજરકેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલનું કહેવું છે કે મેં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું એટલે મને નજર કેદ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે પોલીસ મારા પર નજર રાખવામાં આવી હતી. મેં ચૈતર વસાવાના સમર્થનમાં

ઘણું બધું

કરવા ચોથ 2023 : કરવા ચોથ વ્રત કથા સાથે જાણો કરવા ચોથ વ્રત વિધિ

કરવા ચોથ 2023 : આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી 31 ઓક્ટોબર ના રોજ 9:30 કલાકે શરૂ થશે અને આ તિથી 1 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 9:15 કલાકે સમાપ્ત થશે આપણા ધર્મમાં ઉદયા તિથિ પ્રમાણે તિથિઓ માન્ય ગણવામાં આવે છે જે પ્રમાણે આ કરવા ચૌથ 1 લિ નવેમ્બરના 2023 ના રોજ બુધવારે આ વ્રત ઉજવવામાં

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video