જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર શ્રી પદ્મપ્રભસ્વામી |Shri Padmanabhaswamy, 6th Tirthankar of Jainism

Tirthankar Padmanabhaswamy
Facebook
Twitter
Telegram
WhatsApp

જૈન ધર્મનાં તિર્થંકરો | જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોની આસપાસ આપણે જીવી રહ્યા છીએ. આ હિંસામાંથી બહાર નિકળવા માટે આપણને સારા મુલ્યોનો સથવારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થંકરવાણીમાં તિર્થ શાહ તિર્થંકરો વિશે જણાવી રહ્યા છે. આમ તો જૈન સમુદાયનાં સંશોધન બાદ ઘણાં લોકો ઘણું બધું લખી શકે. પરંતું અમે અહીં પ્રયાસ કર્યો છે કે જૈન ધર્મની વાત જૈન ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ વાત કરે તો એમાં થોડા ગુણનો પણ ઉમેરો થાય. આજે જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર શ્રી પદ્મપ્રભસ્વામી (Padmanabhaswamy) ની વાત. |Jain Dharm na Tirthankar|

પદ્મપ્રભપ્રભોર્દેહ ભાસઃ પુષ્યંતુ વઃ
શ્રિયં અંતરંગારિમથને કોપાટોપાદિવારુણા: ||

અભ્યન્તર શત્રુઓને દૂર કરવાને માટે અધિક ક્રોધથી જાણે લાલ લઈ થઈ ગઈ હોય તેવી શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની શરીરની લાલ કાંતિ તમારી મોક્ષ લક્ષ્મીને પોષણ કરનારી થાઓ.

શ્રી પદ્મપ્રભસ્વામી (Tirthankar Padmanabhaswamy) ના 3 ભવ થયાં તેમાં પૂર્વભવે પ્રભુનો આત્મા 9માં જૈવેયક નામના વિમાનમાં હતા ત્યાંથી 31 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાં રહેલ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનની સાથે ઈક્ષ્વાકુવંશના કાશ્યપ ગૌત્રના વર્ચ્છદેશની કૌશાંબીનગરીના રાજા શ્રીધર ની સુસીમાદેવી રાણીની કુક્ષીએ પોષવદ-6 ના કન્યા રાશિ ચિત્રા નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન થયું ત્યારે માતાએ 14 સ્વપ્ન જોયા, સ્વપ્નનું ફળ જ્યોતિષીઓએ તીર્થંકર અથવા ચક્રવર્તી બની શકે તેમ કહેલ, ભગવાનનું નામ શ્રી પદ્મપ્રભસ્વામી પાડવાનું કારણ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને પદ્મ કમળની તૈયામાં સુવાનો દોહદ ઉત્પન્ન થયેલ જે દેવતાઓએ પૂર્ણ કરેલ તેથી અને ભાવાર્થ થાય છે કે નિષ્કપતાને ધારણ કરી પદ્મના સમાન પ્રભા કાંતિ જેમની છે અથવા પદ્મની જેમ નિર્મળ હોવાથી, પ્રભુ માતાના ઉદરમાં 9 માસ 6 દિવસ રહ્યા. પછી આસો સુદ-૧૨ના ચિત્રા નક્ષત્રમાં મધ્યરાત્રિએ જન્મ થયેલ ત્યારે છપ્પનદિકકુમારીકાઓએ આવીને સૂતીકર્મ કર્યું હતું.

64 ઈન્દ્રોએ મેરુપર્વત ઉપર એક કરોડ સાઈઠ લાખ કળશ વડે જન્માભિષેક મહોત્સવ કર્યો હતો. પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો હતો. પ્રભુ જન્મથી જ ચાર અતિશયથી યુક્ત હોય છે. પ્રભુ બાલ્યકાળે ઈન્દ્રે પ્રભુ અંગુઠામાં મૂકેલ અમૃતના આહાર વડે ઉછરે છે પણ સ્તનપાન ક્યારેય કરતા હોતા નથી, પછી આહારાદિકને ગ્રહણ કરે છે. પ્રભુની જમણી જાંઘ ઉપર પદ્મનું લંછન હતું. રક્ત વર્ણના અને 250 ધનુષ્યની કાયાવાળા હતા. પોતાના 120 આંગળ પ્રમાણ હતા. પ્રભુ સર્વોત્કૃષ્ટ રૂપ અને અનંતબળને ધારણ કરતાં ના લાખ પૂર્વ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા પછી 21|| લાખ પૂર્વ + 16 પૂર્વાંગ વર્ષ રાજ્ય પાલન કર્યું. પ્રભુને 13 પુત્ર હતા.

શ્રી પદ્મપ્રભસ્વામી (Padmanabhaswamy)
શ્રી પદ્મપ્રભસ્વામી (Padmanabhaswamy)

Padmanabhaswamy (પદ્મપ્રભસ્વામી) અશોકવૃક્ષની નીચે 5 મુષ્ઠીલોચ કરીને છટ્ટભકત નો તપ કર્યું

પ્રભુનો દીક્ષાનો અવસર ચતાં લોકાંતિકદેવો આવીને પ્રભુને તીર્થ સ્થાપના કરી જગતનું હિત-કલ્યાણ-ઉદ્ધાર-કરવા વિનંતી કરે છે. જો કે પ્રભુ સ્વયંબુદ્ધ હોય છે તેથી પોતાનો દીક્ષા કાળ જાણતા હોય છે પરંતુ તે દેવોનો તેવા પ્રકારનો આચાર હોય છે. પછી પ્રભુએ વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપી દીક્ષા માટે કૌશાંબીનગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળ્યો. પ્રભુ નિવૃતિકરી શિબિકામાં બેસીને સહસામ્ર વનમાં પધાર્યા ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુષ્ઠીલોચ કરીને છટ્ટભકત નો તપ કરી 29 લાખ પૂર્વ + 16 ૫ર્વાંગ વર્ષની પાછલી ઉંમરે આસો વદ-13ના કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં પશ્ચિમાહ સમયે 1000 ની સાથે દીક્ષાને ગ્રહણ કરી ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષા સમયે ઈન્દ્રે આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી બ્રહ્મસ્થલ નગરીમાં તદ્ભવ મોક્ષગામી સોમદેવ ના હાથે દીક્ષાના બીજા જ દિવસે પરમાન-ખીરથી પ્રથમ પારણુ થયું. ત્યારે પંચદિવ્ય પ્રગટ થયા અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.

પ્રભુ દીક્ષા પછી ૬ માસમાં પ્રમાદ નીંદ્રા જરાપણ કર્યા વિના અપ્રમતપણે આર્ય દેશમાં વિચરતાં કૌશાંબીનગરીના સહસ્રામ ઉધાનમાં છટ્ઠનો તપ કરતાં છત્રાભ વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે ચૈત્ર સુદ-પૂનમ (15) ના દિવસે ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને લોકાલોકના સર્વભાવોને જાણતા અને જોતા થયા. સાથે અઢાર દોષથી રહિત થયા આઠ પ્રાતિહાર્ય અને 34 અતિશયથી યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી તેમાં મધ્ય સિંહાસને 3000 ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે સંસાર ભાવનાને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપતા અનેક પુરુષોએ અને અનેક સ્ત્રીઓએ દીક્ષા લીધી. તેમાં સુધોત આદિ 100 ગણધર થયા. અને પછી પ્રભુના પરિવારમાં 3,30,000 સાધુ, ૨તિ આદિ 4,20,000 સાધ્વી, 2,76,000 શ્રાવક, 5,05,000 શ્રાવિકાઓ હતી. તથા 12,000 કેવળી, 2300 ચૌદપૂર્વી, 10,300 મનપર્યયજ્ઞાની, 10,000 અવધિજ્ઞાની, 16,108 વૈક્રિયલબ્ધિધારી 9600 વાદી હતા.

પ્રભુ વિચરતાં વિચરતાં સમ્મેતશિખર પધારે છે ત્યાં માસક્ષમણ તપ કરતાં, કાયોત્સર્ગ મુદ્રામાં 308 ની સાથે કારતક વદ-11ના દિવસે પશ્ચિમાહ કાળે, કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં મોક્ષે ગયા ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખ પૂર્વ – 16 પૂર્વાંગ વર્ષનો અને 30 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ પ્રભુનુ પ્રાયેઃ શાસન 9 હજાર કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુના શાસનમાં એક દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટપરંપરા સુધી ચાલતો રહેલ. પ્રભુના ભક્તરાજા અજિતસેન હતા. પ્રભુના માતા મોક્ષે તથા પિતા ઈશાન દેવલોકે ગયેલ.

પ્રભુનો આત્મા પૂર્વના ત્રીજા ભવે ધાતકી ખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રની વચ્છા વિદેહની સુસીમા નગરીમાં અપરાજિત રાજા નામે થયેલ અને પછી પિહિતાશ્રવ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. 11 અંગનો અભ્યાસ કરી વિશસ્થાનકના કેટલાક પદની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ. પ્રભુની સેવામાં કુસુમ યક્ષ અને શ્યામા (અવ્યુ) દેવી યક્ષિણી નિરંતર રહે છે. જેઓ ભક્તની ભીડ ભાંગે છે. પ્રભુના જાપ કરવાથી બુધ ગ્રહ તરફથી લાભ થાય છે. પ્રભુની આરાધનાથી ભાગ્ય ખોલવા માટે થાય છે. પ્રભુ કર્ક, વૃશ્વિક, વૃષભ, સિંહ રાશિવાળાને શુભ છે. ધન, તુલા રાશિવાળાને શ્રેષ્ઠ છે મિથુન રાશિવાળાને શ્રેષ્ઠતમ છે. પ્રભુના તીર્થો કૌશાંબી, લક્ષ્મણી પ્રખ્યાત છે જેમાં પ્રભુજી મૂળનાયકતરીકે બિરાજમાન છે.

જૈન ધર્મ નાં ચોવીસ તિર્થંકરો કોણ છે? | Who are the twenty four Tirthankaras of Jainism?

  • જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તિર્થંકરો થયા છે. જૈન ધર્મની સ્થાપના ઋષભદેવે કરી હતી. જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં તિર્થંકર હતા. મૂળે તિર્થંકરનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે.
  • પ્રથમ તિર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથનું પ્રતિક વૃષભ છે. એમ ક્રમશ: જોઇએ.
  • જૈન ધર્મનાં બીજા તિર્થંકર અજીતનાથ છે. 2nd Tirthankar Ajitnath નું પ્રતિક હાથી છે.
  • જૈન ધર્મનાં ત્રીજા તિર્થંકર સંભવનાથ છે. 3rd Tirthankar Sambhavanatha નું પ્રતિક ઘોડો છે.
    જૈન ધર્મનાં ચોથા તિર્થંકર અભિનંદનનાથ છે. 4th Tirthankar Abhinandananatha નું પ્રતિક વાનર છે.
    જૈન ધર્મનાં પાંચમા તિર્થંકર સુમતિનાથ છે. 5th Tithankar Sumatinatha નું પ્રતિક કૌંચ છે.
    જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભસ્વામી છે. 6th Tirthankar Padmaprabhu નું પ્રતિક પદ્મ છે.
    જૈન ધર્મનાં સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથ છે. 7th Tirthankar Suparshvanath નું પ્રતિક સ્વસ્તિક છે.
    જૈન ધર્મનાં આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુસ્વામી છે. 8th Tirthankar Chandraprabhu નું પ્રતિક ચંદ્ર છે.
    જૈન ધર્મનાં નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંત છે. 9th Tirthankar Suvidhinath પુષ્પદંતનું પ્રતિક મગર છે.
    જૈન ધર્મનાં દસમા તિર્થંકર શીતલનાથ છે. 10th Tirthankar Shitalnath નું પ્રતિક શ્રીવત્સ છે.
    જૈન ધર્મનાં અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથ છે. 11th Tirthankar Shreyansanath નું પ્રતિક ગેંડો છે.
    જૈન ધર્મનાં બારમા તિર્થંકર વાસુપૂજ્ય છે. 12th Tirthankar Vasupujya નું પ્રતિક પાડો છે.
    જૈન ધર્મનાં તેરમા તિર્થંકર વિમલનાથ છે. 13th Tirthankar Vimalanath નું પ્રતિક સૂવર છે.
    જૈન ધર્મનાં ચૌદમા તિર્થંકર અનંતનાથ છે. 14th tirthankar Anantanath નું પ્રતિક બાજ છે.
    જૈન ધર્મનાં પંદરમા તિર્થંકર ધર્મનાથ છે. 15th Tirthankar Dharmanath નું પ્રતિક વ્રજ છે.
    જૈન ધર્મનાં સોળમા તિર્થંકર શાંતિનાથ છે. 16th tirthankar Shantinath નું પ્રતિક હરણ છે.
    જૈન ધર્મનાં સત્તરમા તિર્થંકર કુંથુંનાથ છે. 17th Tirthankar Kunthunath નું પ્રતિક બકરી છે.
    જૈન ધર્મનાં અઢારમા તિર્થંકર અરમાથ છે. 18th Tirthankar Aranath નું પ્રતિક નન્ધાવર્ત છે.
    જૈન ધર્મનાં ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથ છે. 19th Tirthankar Mallinath નું પ્રતિક કળશ છે.
    જૈન ધર્મનાં વીસમા તિર્થંકર મુનિસુવ્રત છે. 20th Tirthankar Muni Suvrata નું પ્રતિક કાચબો છે.
    જૈન ધર્મનાં એકવીસમા તિર્થંકર નેમનાથ છે. 21th Tirthankar Namnath નું પ્રતિક નીલકમલ છે.
    જૈન ધર્મનાં બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિ (નેમિનાથ) છે. 22th Tirthankar Neminathનું પ્રતિક શંખ છે.
    જૈન ધર્મનાં ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથ છે. 23th Tirthankar Parshvanatha નું પ્રતિક સર્પ છે.
    જૈન ધર્મનાં ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામી છે. 24th Tirthankar Mahavir Swami નું પ્રતિક સિંહ છે.

Read more adout Jainism – Jainism is one of the three ancient religions of India, with a value system that puts nonviolence above all else.

જૈન ધર્મનાં તિર્થંકરો વિશેનો ની કઇ વાત આપ જાણો છો જે લોકોને વાંચવી ગમશે. તો અમને જણાવો.
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના