આદિવાસી એકતા પરિષદ 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી
30 એકરમાં ભવ્ય ડોમ તૈયાર કરાયો
રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દાદરાનગર અને હવેલી, ગુજરાતમાંથી એકતા પરિષદનાં કાર્યકરો હાજર

આદિવાસી એકતા પરિષદ (Adivasi Ekta Parishad 2023) નો આજ તારીખ 13 જાન્યુઆરીથી શુભારંભ થઇ ચૂક્યો છે. આદિવાસી એકતા પરિષદનું આ 30મું મહાસંમેલન છોટા ઉદેપુરનાં ક્વાંટ ના હમીરપુરા ખાતે 13થી15 જાન્યુઆરી સુધી યોજાવનારું છે. ચાલો જાણીએ શું છે આ સંમેલનમાં.
છોટાઉદેપુર જિલ્લાનાં ક્વાંટ તાલુકાના હમીરપુરા ખાતે 30 એકર જમીનમાં આદિવાસી એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક એકતા મહાસંમેલનની તૈયારીના ભાગરૂપે આદિવાસી સમાજનાં વિવિધ સંગઠનો, કાર્યકરો દ્વારા આ આયોજનને એક નવીન રુપ આપવામાં આવ્યું છે. સમાજનાં વિવિધ સંગઠનો અને કાર્યકરોનાં સમાજનાં કાર્યક્રમો અને એકતાને અખંડિત રાખવા માટે દાનનું સમન્વય સાધ્યું છે.
आदिवासी एकता परिषद द्वारा आयोजित 30वां आदिवासी सांस्कृतिक महासम्मेलन दिनांक-:13,14,15जनवरी 2023
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) January 12, 2023
स्थल-:हमीरपुर (रेणधा रोड) ता.कंवाट जिल्ला. छोटाउदयपुर,गुजरात
मे आप सभी सादर आमंत्रित है!#आप_की_जय#जय_आदिवासी 🏹🌱@TribalArmy pic.twitter.com/HLGJPO8dtD
આદિવાસી એકતા પરિષદ અગાઉની તૈયારી
Adivasi Ekta Parishad 2023
આદિવાસી એકતા પરિષદ (Adivasi Ekta Parishad 2023) ના આયોજન માટે 13 જાન્યુઆરી તારીખ નક્કી કરાઇ એ જ દરમિયાન આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલું થઇ ગઇ હતી. આજે આ તૈયારીને કારણે 13થી 15 જાન્યુઆરી સુધી આ સંમેલનનું આયોજન થનાર છે. હમીરપુરા ખાતે 30 એકર જમીનમાં ઊભા કરાયેલાં વિશાળ ડોમમાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટેની તૈયારીનાં ભાગરૂપે દરરોજ સ્થળ બેઠક યોજાતી હતી.
આ બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દાદરાનગર અને હવેલી, સુરત સહિત છોટાઉદેપુર ઉપરાંત ગુજરાતમાંથી આદિવાસી એકતા પરિષદનાં કાર્યકરો હાજર રહીને પોતાનાં મંત્વ્યો અને સેવાદાન આપતા હતા.
આદિવાસી એકતા પરિષદ મહા સંમેલનમાં શું છે ?
આજે 13 જાન્યુઆરી થી 15મી જાન્યુઆરી સુધી યોજાઇ રહેલાં આદિવાસી એકતા પરિષદમાં દેશભરમાં વસતો આદિવાસી સમાજ સહિત તમામ રાજકીય, સામાજિક આગેવાનો પણ આ મહા મંચ પર એક સાથે જોવા મળશે. ત્રિદિવસીય યોજાવવા જઇ રહેલા સંમેલનમાં અંદાજિત બે લાખથી વધુના આગમનનાં પગલે હમીરપુરામાં આશરે 30 એકર જેટલી જમીનનો ઉપયોગ કરાયો છે.
આદિવાસી સમાજ યુથ દ્વારા જણાવાયું હતુ કે, આદિવાસી સમાજ પોતાનાં સમાજનું ઉત્થાન કરવા માટે હંમેશાથી અગ્રેસર રહ્યું છે.આદિસમાજમાં પ્રકૃતિ પુજા હોય,પોતાના હકની વાત હોય, સ્ત્રી સશક્તિકરણ હોય કે પછી યુવાનોની એકતાની વાત હોય ત્યારે હંમેશા એક જ હાકલથી ભળી જતો હોય છે. આજે આદિવાસી એકતા સંમેલન મારફતે માત્ર રાજકિય રીતે જ નહીં પરંતું સમાજ ઉત્થાનનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય તેવો આ પ્રયાસ છે. આ સંમેલનમાં વધુંમાં વધું યુવાનો જોડાવવાનાં છે.
People also ask
FAQ
- आदिवासी एकता परिषद क्या है?
આદિવાસી એકતા પરિષદ એ આદિવાસી સમાજ દ્વારા યોજાતો કાર્યક્રમ છે. સમાજ ઉત્થાન માટે દરેક સમુદાય ભેગા મળે અને આવનારા સમયમાં કયા કામોની તૈયારી કરવી તે માટે આગોતરા આયોજન રુપે મળે છે. વર્ષ 2023માં 13થી 15 જાન્યુઆરી સુધી ગુજરાતનાં ક્વાંટ ખાતે આદિવાસી એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું
- आदिवासी परिषद की क्या भूमिका है?
આદિવાસી પરિષદની મહત્વની ભૂમિકા એ જ છે કે આદિવાસી સમાજનો વિકાસ થાય. સમાજને સંગઠિત કરવા દર વર્ષે વિવિધ સ્થળે આવા સંમેલનોનાં આયોજન કરવાથી એકતામાં વધારો થાય. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે સામ્યતા જળવાય અને શહેરીકરણની દોટ પાછળ જવાથી બચે અને આદિવાસી સમાજની લોકસંસ્કૃતિ જળવાય એ જ આદિવાસી પરિષદની મુખ્ય ભૂમિકા રહેલી છે.
Read to This link : ડૉ બાબાસાહેબ આંબેડકર ના વિચારો
જો આ સમાચાર આપને પસંદ પડ્યા હોય તો વધુંમાં વધું શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો