ઇતિહાસમાં પહેલીવાર હિન્દી ભાષાનાં અનુવાદિત પુસ્તક રેત સમાધિને મળ્યું બુકરપ્રાઇઝ

Share This Post

જાણીતા લેખિકા ગીતાંજલિ શ્રીને વર્ષ 2022 માટે International Booker Prize 2022થી સન્માનીત કરવામાં આવ્યા છે.લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા રેત સમાધિ માટે તેમને બુકરપ્રાઇસ મળ્યું છે.ઇન્ટરનેશનલ બુકરપ્રાઇઝ 2022 (International Booker Prize 2022) વિજેતા પુસ્તક મૂળ હિન્દી નવલકથા રેત સમાધીને અંગ્રેજીમાં ટોમ્બ ઓફ સેન્ડ નામે લેખક ડેઝી રોકવેલ દ્વારા અનુવાદ કરવામાં આવ્યું હતુ.રેત સમાધી હિન્દી ભાષાની પ્રથમ નવલકથા છે જેને બુકરપ્રાઇઝ મળ્યું છે.

સાહિત્યિક વિશ્વમાં બુકરપ્રાઇઝ ખૂબ મહત્તા ધરાવે છે.હિન્દીમાં લખાયેલી કોઇ નવલકથાને પ્રથમવાર બુકરપ્રાઇઝ મળ્યું છે.ટોમ્બ ઓફ સેન્ડે 50 હજાર પાઉન્ડ ઇનામ મેળવ્યું છે.145 પુસ્તકોને બુકર પુરસ્કારોનાં જજોએ વાંચ્યા હતા.એ બાદ 6 પુસ્તકોની અંતિમ પસંદગી થયા પછી મૂળ હિન્દીનાં રેત સમાધીને આંતરરાષ્ટ્રીય બુકરપ્રાઇઝ 2022 (International Booker Prize 2022) નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.લેખિકા ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તરપ્રદેશનાં રહેવાસી છે.તેમનો જન્મ 1957માં મૈનપુર જીલ્લામાં થયો હતો.હાલ તેઓ દિલ્લી ખાતે કહે છે.લેખિકા તેમની લઘુકથા અને નવલકથા માટે તેઓ જાણીતા છે.તેમનું પુસ્તક અંગ્રેજી અને ફ્રેંચ ભાષામાં અનુવાદ થયું હતુ.આ સિવાય જર્મન, સર્બિયન અને કોરિયા ભાષામાં પણ એમનાં પુસ્તકો અનુવાદ થયા છે.તેઓ ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય અને જાપાન ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.

રેત સમાધી ગીતાંજલિ શ્રીની પાંચમી નવલકથા છે.રેત સમાધી નવલકથા 2018માં પ્રકાશીત થઇ હતી.એ બાદ અનુવાદ થયું હતુ.લંડન ખાતે બુકરપ્રાઇઝથી સન્માનિત કરાયા હતા.ગીતાંજલિ શ્રીએ કહ્યું હતું કે,મેં કદી વિચાર્યું નહોતુ કે હું આવું કરી શકું છું,હું હેરાનની સાથે ખુશ પણ છું.મારા અને આ પુસ્તક વચ્ચે હિન્દી અને અન્ય દક્ષિણ એશિયાની ભાષાઓમાં સમૃદ્ધ અને સાહિત્યક પરંપરા છે,આ ભાષાઓનાં સારા લેખકોને ઓળખવા માટે સમૃદ્ધ થવું પડશે. આવી રીતે જીવનમાં શબ્દોની ડીક્શનરી વધશે. આ પુસ્તક હવે વિશાળ સમુદાય સુધી પહોંચશે. ભારતીય ભાષાનાં અને સમગ્ર એશિયાઇ દેશો માટે આનંદની વાત છે. હું અશોક મહેશ્વરીનો આભાર માનું છું. મારા અને આ પુસ્તકની પાછળ હિંદી અને અન્ય દક્ષિણ એશિયાઇ ભાષાઓની ઉભરતી અને સમૃદ્ધ સાહિત્યિક પરંપરા ઉભી છે. International Booker Prize 2022

ગીતાંજલિ શ્રીની પ્રથમ વાર્તા બેલપત્ર હતી. 1887 માં એમની પ્રથમ વાર્તા પ્રકાશિત થઇ હતી. બેલપત્ર વાર્તા હંસ મેગીઝીનમાં છપાઇ હતી. એમના અન્ય પુસ્તકોમાં માઇ પુસ્તકને ક્રોસવર્લ્ડમાં સન્માનિત કરાયા હતા. તિરોહિત – મહિલા સમલિંગતાની વાતો છે. વૈરાગ્ય,હમારા શહર ઇસ બરસ, યહાં હાથી રહતે હૈ જેવા પુસ્તકો સમાજની વિભિન્નતા દર્શાવે છે.

અગાઉ ભારતીય લેખકો બુકરપ્રાઇઝથી સન્માનિત થઇ ચૂક્યા છે. સલમાન રસદીને મીડનાઇટ ચિલ્ડ્રન માટે વર્ષ 1981માં બુકરપ્રાઇસ મળ્યું હતું. પ્રથમ ભારતીય મહિલા અરુંધતી રોય હતા જેમને 1997માં બુકરપ્રાઇઝ મળ્યું હતુ. પરંતું હિન્દી ભાષામાં લખાયેલા પુસ્તકનાં અનુવાદને આ વર્ષે પ્રથમવખત આ રીતે International Booker Prize 2022 પુરસ્કૃત કરવામાં આવ્યા છે. બુકરપ્રાઇઝ યુકે અને આયરલેન્ડમાં પ્રકાશીત થયેલા અંગ્રેજી પુસ્તકને આ પુરસ્કાર આપવામાં આવે છે. અન્ય લેખકોને આ વર્ષે 2500 પાઉન્ડ આપવામાં આવ્યા છે.

ગીતાંજલિ શ્રી ની ભાષા પાણીદાર છે

રેત સમાધિ લખવા પાછળ લેખિકા ગીતાંજલિ શ્રીને 7-8 વર્ષ લાગી ગયા હતા.રેત સમાધીમાં 80 વર્ષિય વૃદ્ધાની વાત છે. વૃદ્ધા 1946માં ભારત-પાકિસ્તાનનાં ભાગલામાં પોતાના પતિને ખોઇ દે છે. માનસિક રીતે પોતાની જાતને સંભાળે છે. અંતે પછી પાકિસ્તાન જવાનો નિર્ણય કરે છે. નવલકથામાં ભારત-પાકિસ્તાનની સરહદોની વાત છે. 80 વર્ષિય વૃદ્ધા પારિવારીકતાની સુક્ષ્મતા બાદ પાકિસ્તાન જાય છે. 2 મહિલાઓ રહ્યી. અન્ય લેખકોએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં પ્લોટ મહત્વનો નથી. પરંતું જે રીતે પ્રસ્તુત કરવામાં આવી છે એ મહત્વનું છે. એક માતાનું પાત્ર વિશ્વસનિય છે. ગીતાંજલિ શ્રી ની ભાષા પાણીદાર છે. મનની અંદરી વાત અને બહારી વાતો સરળતાથી કરે છે.

Read Elon Musk Quotes in Gujarati. Link

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

દક્ષિણ ગુજરાત

કોંગ્રેસ નેતા અનંત પટેલ નજર કેદ! AAP નેતા ચૈતર વસાવા ના સમર્થનમાં લખ્યો મુખ્યમંત્રીને પત્ર

વાંસદા વિધાનસભા ના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ને નજરકેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલનું કહેવું છે કે મેં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું એટલે મને નજર કેદ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે પોલીસ મારા પર નજર રાખવામાં આવી હતી. મેં ચૈતર વસાવાના સમર્થનમાં

ઘણું બધું

કરવા ચોથ 2023 : કરવા ચોથ વ્રત કથા સાથે જાણો કરવા ચોથ વ્રત વિધિ

કરવા ચોથ 2023 : આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી 31 ઓક્ટોબર ના રોજ 9:30 કલાકે શરૂ થશે અને આ તિથી 1 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 9:15 કલાકે સમાપ્ત થશે આપણા ધર્મમાં ઉદયા તિથિ પ્રમાણે તિથિઓ માન્ય ગણવામાં આવે છે જે પ્રમાણે આ કરવા ચૌથ 1 લિ નવેમ્બરના 2023 ના રોજ બુધવારે આ વ્રત ઉજવવામાં

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video