Congress Party | કોંગ્રેસનો ગાંધી પરિવાર મુસ્લિમ છે? | congress party|

congress

Share This Post

ગુજરાત કોંગ્રેસ Congress | ગુજરાત કોંગ્રેસની ચડતી પડતીનાં ઘણા બધા સમાચારો સમાંયતરે વાયરલ થતા રહે છે. હાલની Congress નો ઇતિહાસ અને આસપાસની વાત ચીત વાંચવા જેવી છે. આજ કાલ સોશિયલ મીડિયામાં ગાંધી, સરદાર પટેલ, નહેરું, આંબેડકર તેમજ અન્ય મહાનુભાવોના વિચારો વાયરલ થાય છે. આમ તો મોરારી બાપુના પણ વિચારો એમના ન હોવા છતાં પણ કોઇ વ્યક્તિ એનાં પોતાના વિચારો એડિટીંગમાં બાપુનો ફોટો મુકીને વાયરલ કરી દે છે. જેમ હિન્દી શાયરીની દુનિયામાં પણ ગાલિબની ગઝલો આજે પણ એમનાં મૃત્યુબાદ લોકો લખી રહ્યા છે. આજે વાત કરવી છે Congress નાં ઇતિહાસની. ચૂંટણી નજીક આવતા જ વોટ્સએપ- ફેસબુકમાં કોંગ્રેસનાંમુસ્લિમ વંશજોની વાત વાયરલ થાય છે, આ વાત સાચી કે ખોટી એ જાણવા આ લેખ વાંચવા જેવો છે.

ગુજરાત કોંગ્રેસ ઇતિહાસનું વિકૃતીકરણ કઈ રીતે થાય છે?


જયારે વરિષ્ઠ પત્રકાર અને સર્જક ભગવતીકુમાર શર્મા જેવા અધિકૃત લેખાતા મહાનુભાવો સરકારી સાહિત્ય અકાદમીના સામાયિક “શબ્સૃષ્ટિ”ને મુલાકાતમાં જૂઠાણાં ઓકે અને એ યથાવત છપાઈ જાય ત્યારે વિકૃતિસભર ઈતિહાસ રચાય. સુરતના ડૉ.રઈસ મણિયારે ભગવતીકુમારની હયાતીમાં આ નોંધ લખી હતી. આપ પણ એ વાંચીને નિર્ણય કરી શકો છો:

ફિરોઝ ગાંધી : સત્ય, અર્ધસત્ય અને અસત્ય


મુરબ્બી ભગવતીકુમાર શર્માની મારા મન પર છાપ જીવંત એનસાઈકલોપિડિયા જેવી છે. ગુજરાતમિત્રમાં કોઈ પણ બનાવ અંગે તંત્રીલેખ લખવાનો હોય, અંજલિ લખવાની હોય, એ કોઈપણ રેફરંસ વગર રાતોરાત રાજકારણ, સિનેમા, ક્રિકેટ જેવા વિવિધ વિષયો પર માહિતીસભર લેખ લખતા. એ વાંચીને જ મેં બાળપણ વીતાવ્યું છે. એક સમય સુધી સમતોલ ગદ્ય કેવું હોય એના આદર્શ તરીકે એમને સ્થાપીને અમે અમારી સાહિત્યયાત્રા આરંભી હતી.
આજે (મે ૨૦૧૭) આવેલા “શબ્દસૃષ્ટિ”ના અંકમાં એમની કનૈયાલાલ ભટ્ટ સાથેની મુલાકાત છપાઈ છે, એમણે ફિરોઝ ગાંધી વિશે જે લખ્યું છે, એમાં માહિતીદોષ છે. આ માહિતીદોષ સાથેની વિગત આમ તો કેટલાક વરસોથી વોટ્સએપ વગેરે પર ફરે છે, પરંતુ એની અધિકૃતતા ન હોઈ, મુદ્દો ઉઠાવવાનું મને જરૂરી લાગ્યું નહોતું. પરંતુ ભગવતીકુમાર જેવા પરમ
પહેલી વાત, ફિરોજ ગાંધી પારસી હતા, મુસ્લિમ ન હતા. એમનું મૂળ નામ ફિરોઝ ખાન હતું, એ ધરાર ખોટી વાત છે.
એમના પિતાજીનું નામ જહાંગીર ગાંધી અને માતાનું નામ રતિમાઈ ગાંધી હતું જો કે એમના પિતા (જહાંગીર ગાંધી) ગાંધીની જોડણી અંગ્રેજીમાં ghendy લખતા. તેઓ કિલિક નિક્સન કંપનીમાં મરીન એંજીનિયર હતા અને અંગ્રેજો ‘ગાંધી’નો ઉચ્ચાર આ પ્રમાણે કરતા. બાકી મૂળ અટક તો ગાંધી જ હતી.
ગાંધીજીએ એમને ઈંદિરા સાથે લગ્ન કરાવી આપતી વખતે ગાંધી અટક આપી, એ પણ ધરાર ખોટી વાત હતી. એ રીતે એમને અટક મળી હોય તો, ઈંદિરાના જેઠ અને અને જેઠાણીનું નામ દોરાબ ગાંધી અને શેરનાઝ ગાંધી કઈ રીતે હોય?

ધોરણ 12 આર્ટસ પછી શું? મુંઝવણ હોય તો વાંચો
ફિરોઝ ગાંધીએ 1930માં અઢાર વરસની ઉમરે સ્વતંત્રતા ચળવળમાં જોડાઈને પોતાની અટકની (માત્ર) સ્પેલિંગ બદલી એનું ભારતીયકરણ કર્યું. ત્યારે ઈંદિરાની ઉમર 13 વરસની હતી. અને સ્વાભાવિક છે કે એમનું કોઈ પ્રેમપ્રકરણ ત્યારે નહોતું.
મુ. ભગવતીકુમાર શર્માએ લખ્યું છે એના પરથી એમ પ્રતીત થાય છે કે સ્વતંત્રતા વખતે કોને વડાપ્રધાન બનાવવા એ વખતે 1947માં જ ફિરોઝ ગાંધી અને ઈંદિરાના લગ્નની માથાકૂટ પણ ચાલતી હતી. એ વાત પણ ખોટી છે. ઈંદિરાના નિર્ણયથી નારાજ જવાહરલાલ નહેરુએ ગાંધીજીને મધ્યસ્થી કરવા કહ્યું હતું, એ સાચું, પણ એ ઘટના 1942માં બની હતી. ‘ફિરોઝે ઇંદિરા સાથે લગ્ન કરવા હોય તો એ માટે અટક બદલવી પડે’ એવી શરત ગાંધીજી મૂકે, એ કલ્પના પણ ગાંધીજીને ન સમજયા હોય એ જ કરી શકે. હકીકત એ છે કે ઈંદિરા અને ફિરોઝના લગ્ન આઝાદીના સાડાપાંચ વરસ પહેલા માર્ચ 1942માં હિંદુ વિધિથી થયા હતા. 1947 પહેલા તો એમનાં બન્ને બાળકો જન્મી ચૂક્યાં હતાં. મૃત્યુ વખતે ફિરોઝ ગાંધીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમને મુસ્લિમ ગણાવવા પાછળ હીન રાજકારણ છે.


ફિરોઝ ગાંધી આઝાદી પછી બે વાર કોંગ્રેસની સીટ પરથી (લોકસભામાં) ચૂંટાયા હતા ખરા, પણ કમ સે કમ બે વાર એમણે એવાં સ્ટેંડ લીધાં હતાં જેનાથી કોંગ્રેસ મુશ્કેલીમાં મૂકાઈ હતી. એક, એમણે વીમા મુંદરાનો ગોટાળો બહાર પાડ્યો ત્યારે નાણાપ્રધાન ટીટી ક્રિશ્ણામાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું. બીજું, એમણે નફાખોરી કરતી ટાટા એમ્જીનિયરીંગ (ટેલ્કો) કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવાની ચળવળ ઉપાડી હતી. વર્તમાન સમયમાં કદાચ નહેરુ અને એમના વંશ પ્રત્યેના દ્વેષને કારણે, એક અસત્ય સાથે બીજું અસત્ય જોડીને ફિરોઝ ગાંધી જેવા નિતાંત સજ્જનને બદનામ કરવામાં આવે છે, એ દુ:ખદ છે.
ટૂંકમાં, ફિરોઝ ગાંધી ફિરોજખાન હતા, એ હકીકત ખોટી છે. ભગવતીકુમાર શર્મા જેવી વિભૂતિ આ વાત કહે તો લોકો સાચી માની લે. અને “શબ્દસૃષ્ટિ” જેવું પ્રતિષ્ઠિત સામાયિક આ વાત છાપે તો ય આ દોષ ઈતિહાસમાં અંકાઈ જાય. શબ્દસૃષ્ટિએ આ હકીકતદોષ વાળો ભાગ એડિટ કરવો જરૂરી હતો.

Indira Gandhi Birth Anniversary: How Jawaharlal Nehru’s daughter got her ‘Gandhi’ surname

  • ડૉ.રઈસ મણિયાર, સુરત

સૌજન્ય – ફેસબુક પોસ્ટ , હરી દેસાઇ

‘Rahul Gandhi is born to a Muslim and Christian, how did he become a Brahmin?’ asks Union minister

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video